‘હું’ અને ‘તું’ ની બે જુદી જુદી વ્યાખ્યા પરથી ‘અમે’ નુ અદ્ભુત સમીકરણ તૈયાર કરી આપે તે..
સપ્તપદીના વચનથી બંધાતા પહેલા અંતર મનની લાગણી સાથે આપોઆપ બંધાઈ જાય તે એટલે જીવનસાથી..
આપણા અસ્તિત્વની આભાને સોળે કળાએ ખીલવાની તક પૂરી પાડે તે એટલે જીવનસાથી..
આપણા સપનાઓના કોરા કેનવાસ પર આશાઓના રંગોની પીંછી ફેરવે તે એટલે જીવનસાથી..
આપણો આપણી ખામીઓ સાથે સ્વીકાર કરી આપણા વ્યક્તિત્વને પૂણઁતાના ઉપહારથી સજાવે તે એટલે જીવનસાથી..
યૌવનથી ઘડપણ સુધીના સંબંધને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ અને સમર્પણની લાગણીથી જીવંત રાખે તે એટલે જીવનસાથી..
(આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓને બાજુ પર મુકી કયારેક આપણા જીવનસાથીની લાગણી અને સંવેદનાઓને પણ પંપાળવી જોઈએ.)
– Pin.S
દીદી, તમે ખુબ જ સરસ લખ્યું છે.
LikeLiked by 1 person
Awesomely writing pinal
LikeLiked by 1 person