હું અને તું…

આ બધું પળવારમાં વહી જશે,
જીવનની કિતાબમાં માત્ર યાદોની વસંત જ રહી જશે…

અહમની કલમ જો લખશે જિંદગીનો અધ્યાય,
અંતિમ સમયે હૃદયમાં માત્ર અફસોસ રહી જશે…

સ્નેહની બાદબાકી કરી જો ઈર્ષાનો થાય ગુણાકાર,
લાગણીનો ભાગાકાર થઈ સંબંધમાં માત્ર એકલતા જ રહી જશે…

અબોલા જો નહીં તોડે પોતાનું મૌન પળવારમાં,
હૃદયમાં ગેરસમજનો ઘોઘાટ હંમેશા માટે રહી જશે…

‘તું’ જો નહીં બદલે ‘હું’ નું સમીકરણ,
જિંદગીના ગણિતમાં ‘આપણો’ દાખલો જ અધુરો રહી જશે…

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.