પતિ પત્ની : હું અને તું નો સરવાળો

ગૂંગળાયેલા સંબંધોને મુક્ત કરવાની જરૂર હોય છે.લાગણીઓ જો વ્યક્ત ના થાય તો અકળામણનું કારણ બનતી જાય છે.હળવા બનતા શીખો.દબાવી રાખેલો ગુસ્સો હોય કે પછી પ્રેમ હોય બેવ જ પીડા આપે છે માટે વ્યક્ત કરી હળવાફુલ બની જિંદગીની મજા માણો.જે નથી એના અફસોસમાં જે છે એને માણવાનું આપણે ભૂલી ગયા છે.

  એક પતિ પત્નીની વાત છે.બેવની ગાડી સમયના વહેણ સાથે એક જ ધારી ચાલી રહી હતી.બેવ નોકરી કરતા હોવાથી એકબીજા માટે સમય આપી શકતા ન હતા.એમનો anniversary day આવતો હતો તો પત્નીએ પતિને surprise આપવાનો વિચાર કર્યો.anniversary ના દિવસે એણે નોકરી પરથી જલ્દી રજા લીધી અને પતિની પસંદનું જમવાનું અને cake બનાવી તો બીજી તરફ પતિને તો યાદ જ નહતું.ઘરે આવીને ખબર પડી કે તે આજનો day ભૂલી ગયો છે.

  પત્નીને ખૂબ જ ગુસ્સો આવ્યો પણ એ વ્યક્ત કરી ના શકી અને એના હૃદયના પ્રેમને પણ એણે દબાવી દીધો.પતિ એના દિલની પીડા સમજી ગયો.

  બીજે દિવસે એણે પત્ની માટે એક પત્ર લખી મુક્યો.જેમાં એણે એના માટે એક પ્રેમસભર કવિતા લખવાનો પ્રયત્ન કર્યો હતો અને છેલ્લે લખ્યું કે તું પણ તારો ગુસ્સો ઠાલવી નાખ થોડી હળવી બની પ્રેમના બાગને ખીલવા દે અને સાથે જ એના વર્તન માટે તેમજ સમય ન આપવા બદલ માફી માંગી.

 આપણી વધુ પડતી અપેક્ષાઓ જ આપણને દુઃખી કરે છે.પ્રેમ કરી આપણે આપણી વ્યક્તિને બદલવાની જગ્યાએ એ જેવી છે એવી જ સ્વીકાર કરો અને એની ખામીને પણ અપનાવો પછી જુઓ જિંદગી કેટલી સુંદર લાગે છે.

જે છે તેને માણતા શીખો….

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.